તારીખ: ૩૦-૧૨-૨૦૨૨ના દિને એસ.એમ.સી.ના અધ્યક્ષના હસ્તે વાડ મુખ્ય શાળામાં આનંદમેળો ખુલ્લો મુકાયો. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વાનગીઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં બાળકોની મનપસંદ વાનગીઓ વેચાણ માટે મૂકવામાં આવી હતી. શાળાનાં બાળકો, શિક્ષકો અને વાલીઓએ મનગમતી વાનગીઓની મજા માણી હતી. આ પ્રવૃત્તિથી બાળકોમાં રેસીપીની બનાવટનો ખ્યાલ આવે અને તેમાં વપરાતી ચીજવસ્તુઓ તથા તેમાં થયેલ ખર્ચનો હિસાબ રાખવા જેવી બાબતોની સમજ મેળવે છે. આ કાર્યક્રમમાં વાલીઓ, શાળાનાં બાળકો, આને શિક્ષકો હાજર રહ્યા હતાં.