તારીખ -૩૦-૧૨-૨૦૨૨નાં દિને યોજાયેલ ખેરગામ ખાતે જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ (પૂર્વ કેબિનેટ મંત્રી) પૂજ્ય પ્રફુલ્લભાઈ શુકલ જીલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ તથા જનતા માધ્યમિક શાળાનાં હોદેદારો અને મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.